Hasmukhsinh Rathod

Hasmukhsinh Rathod

Share

∆આમ આદમી પાર્ટી યુવા નેતા પંચમહાલ∆

14/08/2026

મહિપસિંહ બાપુ ના સમર્થનમાં
Mahipatsinh Chauhan

13/08/2026

હવે આવો મેદાનમાં

12/08/2026

સાચા માણસનો સાથ આપો… અને ખોટાઈથી હંમેશા દૂર રહો. 🚩

🙏 જય શ્રી રામ 🙏
🙏 જય ભાથીજી મહારાજ 🙏

— પંચમહાલ યુવા નેતા
હસમુખસિંહ રાઠોડ

11/08/2026
10/08/2026

🚩🔥 મિશન ૨૦૨૭ – ૧૨૬ ગોધરા વિધાનસભા 🔥🚩

હવે માત્ર મત નહીં, જનતાના પ્રશ્નોના જવાબ જોઈએ!

૧૨૬ – ગોધરા વિધાનસભા મતવિસ્તારના ગામડાઓમાં આજે પણ અનેક મૂળભૂત પ્રશ્નો યથાવત છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગામડાના ખરાબ રસ્તા, ખેડૂતોની સમસ્યાઓ, સિંચાઈનું પાણી અને ટોલનો બોજ જનતા સહન કરી રહી છે.

📍 આપણા મુખ્ય પ્રશ્નો:

🚧 ગામડાઓના અનેક રસ્તાઓ આજે પણ બિસ્માર હાલતમાં છે. લોકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

🌾 ખેડૂતોને પાક નુકસાન થાય ત્યારે પાક વીમાની પૂરતી અને યોગ્ય સહાય મળતી નથી તેવી અનેક ફરિયાદો છે. ખેડૂતોને હક્કની સહાય સમયસર અને પારદર્શક રીતે મળવી જોઈએ.

💧 ખેડૂતો માટે પાનમનું સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળવું જોઈએ. પાણીના અભાવે પાકને નુકસાન થાય અને ખેડૂત પરેશાન થાય એ સ્વીકાર્ય નથી.

🛣️ વાવડી ટોલનાકાનો પ્રશ્ન:
જે માર્ગ પરથી સ્થાનિક લોકો વર્ષોથી અવરજવર કરતા આવ્યા છે, ત્યાં ટોલનો વધતો બોજ સામાન્ય જનતા અને વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ છે. વાવડી ટોલનાકા અંગે જનતાને રાહત મળે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગ છે.

🏥 ગામડાઓમાં આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનાવવી જોઈએ.

🏫 સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

💼 યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો ઊભી કરવી જોઈએ.

🚰 ગામડાઓમાં પીવાનું પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ અને અન્ય પાયાની સુવિધાઓ પર પણ ગંભીરતાથી કામ થવું જોઈએ.

🤝 આ લડાઈ માત્ર એક સમાજની નથી!

ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે અન્ય કોઈપણ સમાજ — વિકાસ અને હક્કના પ્રશ્નો દરેક સમાજના છે.

ચૂંટણી આવે ત્યારે દરેક સમાજ પાસે મત માંગવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી જનતાના પ્રશ્નોનો અવાજ કોણ ઉઠાવશે?

હવે જનતા જાગૃત બનશે, પ્રશ્ન પૂછશે અને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવશે.

🚩 મિશન ૨૦૨૭નો સંકલ્પ:
જાતિ નહીં, જનહિતની વાત.
વચનો નહીં, કામની વાત.
માત્ર મત નહીં, જવાબદારીની વાત.

✊ ૧૨૬ – ગોધરા વિધાનસભાની જનતાના હક્ક અને વિકાસ માટે અવાજ ઉઠાવવાનો સંકલ્પ!

પંચમહાલ યુવા નેતા
હસમુખ સિંહ રાઠોડ 🚩

09/08/2026

આજે સત્તાના જોરે વિરોધીઓ, કાર્યકરો અને પોતાના હક માટે અવાજ ઉઠાવનારાઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે.

પણ યાદ રાખજો…
સત્તા કાયમી નથી હોતી અને સમય હંમેશા એકસરખો રહેતો નથી.

આજે જે લોકો બીજાને જેલના સળિયા પાછળ મોકલે છે,
કાલે એ જ કાયદો અને એ જ વ્યવસ્થા તેમની સામે પણ ઊભી થઈ શકે છે.

મોદીજી અને અમિત શાહજી,
લોકશાહીમાં સત્તા કોઈની કાયમી મિલકત નથી.
જનતા જ અંતિમ નિર્ણય કરે છે અને સમયનો ચક્ર ક્યારે કોની તરફ વળે તે કોઈ કહી શકતું નથી.

પંચમહાલ યુવા નેતા
હસમુખ સિંહ રાઠોડ

09/08/2026

🌿🪶 વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🪶🌿

આદિવાસી સમાજ માત્ર એક સમાજ નથી, પરંતુ પ્રકૃતિ, પરંપરા, સંસ્કૃતિ અને સંઘર્ષની જીવંત ઓળખ છે. 🌳❤️

જંગલ, જમીન અને જળ સાથે પેઢીઓથી જોડાયેલા આદિવાસી ભાઈ-બહેનોએ પોતાની મહેનત, સાદગી અને સંસ્કૃતિથી દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે આદિવાસી સમાજના હક, અધિકાર, શિક્ષણ, રોજગાર અને વિકાસ માટે હંમેશા અવાજ ઉઠાવીશું. ✊

🌿 જળ, જંગલ અને જમીન — આદિવાસી સમાજની ઓળખ અને અધિકાર છે.
🪶 આદિવાસી સંસ્કૃતિનું જતન — આપણી સૌની જવાબદારી છે.
🤝 એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે.

🙏 વિશ્વ આદિવાસી દિવસની તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. 🙏

યુવા નેતા પંચમહાલ
હસમુખસિંહ રાઠોડ

08/08/2026

🙏❤️ કેટલા મિત્રો ઈચ્છો છો કે ચૈતરભાઈ ૧૦-૦૮-૨૦૨૬ના રોજ જેલમાંથી બહાર આવી જાય? ❤️🙏

જો તમે પણ ઈચ્છતા હોવ કે ચૈતરભાઈ ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જેલમાંથી બહાર આવે, તો આ પોસ્ટને ❤️ લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.

🤝 એકતા જ આપણી તાકાત છે.
✊ ચૈતરભાઈ માટે અવાજ ઉઠાવીએ.
❤️ સત્ય અને ન્યાયની જીત થાય તેવી પ્રાર્થના.

Want your public figure to be the top-listed Public Figure in Godhra?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Godhra