Gujarat Events Updates

Gujarat Events Updates

Share

The main purpose of this page is to keep people informed about events, trainings, workshops, seminar

31/01/2026

BAPS Swaminarayan Sanstha

31/01/2026
08/12/2025

✨ Param Pujya Gyanvatsal Swami — “Yuvanoma Sanskar Sinchan” ✨

📅 12 December 2025
🕓 4:00 PM to 6:00 PM
📍 BharatKool Adhyay 2, Gujarat University

યુવાનોમાં મૂલ્યો, સંસ્કાર અને સંવાદિત જીવનની પ્રેરણા—
એક એવી વાણી, જે હૃદયને સ્પર્શે
અને જીવનને દિશા આપે.

BAPS Swaminarayan Mandir, Akshardhamના
વિશ્વપ્રસિદ્ધ પ્રેરણાદાતા
Param Pujya Gyanvatsal Swami
આવી રહ્યા છે વિશેષ સેશન સાથે:
“Yuvanoma Sanskar Sinchan”.

આ સત્રમાં—
✔ જીવન મૂલ્યો
✔ સમય વ્યવસ્થાપન
✔ સંબંધોની ઊંડાણ
✔ સફળતાની સાચી વ્યાખ્યા
✔ આધ્યાત્મિકતા અને જીવન શિક્ષણ
— બધું જ સ્પષ્ટ, સરળ અને અત્યંત પ્રેરણાદાયક અંદાજમાં.

આ એક એવો સત્ર છે,
જે સાંભળ્યા પછી જીવન બદલાતું લાગે. ✨🙏

23/10/2024

✨ જાહેર નિમંત્રણ ✨

📢 વિષય : ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ની સમજ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે તાજેતરમાં જ જાહેર થયેલ ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવા માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

🗓️ શુક્રવાર , તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪
🕠 સમય: સાંજે ૫:૩૦ કલાકે
📍 સ્થળ: સેમિનાર હોલ-A, SIECC કેમ્પસ, સરસાણા, સુરત.

🔗 રજિસ્ટ્રેશન અનિવાર્ય: રજિસ્ટ્રેશન લીંક https://bit.ly/3YA90R9

🗣️ વક્તાઓ:
શ્રી પ્રમોદ ચૌધરી : ચેરમેન, પ્રતિભા ગ્રુપ
💼 વિષય: પ્રોસેસર્સ શું મેળવશે?

શ્રી આશીષ ગુજરાતી: ભૂતપૂર્વ પ્રમુખ અને ચેરમેન, ટેક્ષ્ટાઈલ ટાસ્ક ફોર્સ, SGCCI
📝 વિષય: પોલિસીની સર્વગ્રાહી સમિક્ષા

શ્રી કૈલાશ હકીમ: પ્રમુખ, ફોસ્ટા
💼 વિષય: ટ્રેડર્સ શું મેળવશે?

સીએ રાજીવ કપાસિયાવાલા: મેનેજીંગ કમિટિ સભ્ય, SGCCI
💰 વિષય: સબસીડી અંગેની સમજ

[Gujarat Textile Policy, SGCCI, Textile Industry, Textile City, Surat Events]

21/10/2024

કેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન યોજાશે
---------
તા.૨૨ અને ૨૩ ઓક્ટોબર દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU ના ઉપક્રમે VNSGUના પ્રાર્થના હોલમાં પ્રદર્શનને સુરતવાસીઓ નિ:શુલ્ક નિહાળી શકશે
--------
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ અને ૨૩ ઓક્ટો.ના રોજ ‘વિકસિત ભારત @2047’ વિષય પર નર્મદ યુનિ.ના શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં ચિત્ર પ્રદર્શન યોજાશે.
ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન તા.૨૨મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે કુલપતિ શ્રી ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવશ્રી ડૉ આર. સી. ગઢવીના હસ્તે કરવામાં આવશે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના વિકસિત ભારત @2047 નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવશે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવશે.
પ્રદર્શન તા.૨૨ના સવારે ૧૧ થી ૬ તેમજ તા.૨૩ ના સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી નાગરિકો નિ:શુલ્ક નિહાળી શકશે. વધુમાં વધુ લોકો, યુવાનો નિહાળે અને સરકારની યોજનાઓ-પ્રકલ્પોની જાણકારી પ્રદર્શન થકી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
395003