Lavri Films
We are Adajan, Surat based creative Ad Agency.
કમલેશભાઈ ઠક્કર પોતે ન્યુમરોલોજી ના પ્રેક્ટિશનર છે, પોતે યાદ શક્તિનો અખૂટ ઝરો ધરાવે છે. પોતાની મેમરી એટલી શાર્પ છે કે કોઈ પણ વ્યક્તિ ને એક વખત મળ્યા પછી ઘણા લાંબા સમય બાદ ફરીથી મળે તો ત્યારે પહેલી મુલાકાત વખત ની બધી જ વાતો એમને યાદ કરાવે, બર્થડેટ થી માંડી ને એમનો સ્વભાવ, એમનો વ્યવહાર, લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે કેવા કપડાં પહેર્યા હતા... વગેરે.. આવી ઘણી બધી બાબતો એમના માનસ પટલ પર છવાઈ જાય છે.
તેઓ કેમ આટલું બધું યાદ રાખી શકે છે?
આપણે પણ મેમરી ઈમ્પ્રુવ કરવા શું કરવું જોઈએ?
ન્યુમરોલોજી શું છે? એને વ્યવસાય માં કેવી રીતે યુઝ કરી શકાય?
આવા ઘણા બધા પ્રશ્નોના જવાબો આપને આ વિડીયો ના માધ્યમથી મળશે.
--------------------------------------------------------------
Malva Jeva Manas | Kamlesh Thakkar | યાદ શક્તિ કેમ વધારવી | ન્યુમરોલોજી | કમલેશ ઠક્કર મળવા જેવા માણસ
રમજુભાઈ સરવૈયા પોતે 4 ચોપડી જ ભણેલા છે તેમ છતાં પીએચડી કરેલા અને આયુર્વેદ માં સ્નાતક એવા ડોક્ટર્સ પણ એમની પાસે સલાહ સૂચન લેવા માટે આવે છે.
રમજુભાઈ પોતે આયુર્વેદિક ઔષધિ ઉગાડે છે અને અમુક દુર્લભ ઐષધીઓ જંગલમાંથી લાવીને એની દવા બનાવીને ડોક્ટર્સ ને આપે છે.
ખુબજ સરસ સ્વભાવના અને જ્ઞાનનો ભંડાર એવા રમજુભાઈ નો વિડીયો અચૂક નિહાળો .
આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?
તો આવું આપણે શા માટે બોલીએ છીએ?
શું છે આની પાછળ નું વૈજ્ઞાનિક કારણ?
આયુર્વેદ માં સૂંઠ ને કેમ મહત્વ આપવામાં આવ્યું છે?
નાડી ચિકિત્સા શું છે?
દર્શન ચિકિત્સા શું છે?
એક વખત ફાંદ આવી ગયા પછી એ જતી કેમ નથી?
મેદસ્વીતા માટેના કારણો અને તેને નિવારવાના ઉપાયો શું છે?
આવા તો ઘણા સવાલોના જવાબો તમને આ વિડીયો ના માધ્યમથી મળશે.
નટુભાઈ જસાણી, એક સફળ બિઝનેસ મેન છે. તેઓ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને કાપડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓ છેલ્લા 7 વર્ષથી રીટાયર લાઈફ જીવી રહ્યા છે. તેઓ આ સમયમાં ભગવદ્દ ગીતા પર ખુબ ઊંડો અભ્યાસ કરી રહ્યાં છે.
તેમની પાસે જીવન જીવવાની અનોખી કલા છે, તેઓ દુનિયા ને એક અલગ જ નજરથી જુએ છે. તેઓ સન્યાસી કરતા સંસારી ને સારા અને ઉત્તમ ગુરુ માને છે.
શા માટે કેરીમાં જે સ્વાદ રહેલો છે એ આપણને કેરી ખાવા મજબુર કરે છે ?
આ બધું જ તમને જાણવા મળશે આ વિડીયો ના માધ્યમથી, તો આ વિડીયો ને પુરેપૂરો નિહાળો.
Natubhai Jasani
ધર્મેન્દ્ર શેઠ પોતે સુરત ના રહેવાસી છે, તેઓ છેલ્લા 30 વર્ષથી સ્પોકન ઈંગ્લીશ ના ક્લાસીસ ચલાવી રહ્યા છે, શહેરના નામાંકિત ક્લાસીસમાનું એક એમનું ક્લાસીસ છે.
એમને ત્યાં શહેરના જાણીતા, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ અને ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઈંગ્લીશ સ્પીકિંગ શીખવા માટે આવે છે.
- લોકો એમની પાસે જ ઇંગલિશ શીખવાનો આગ્રહ કેમ રાખે છે?
- શા માટે એમની જ પાસેથી ઇંગલિશ કે બીજી કોઈ પણ લેન્ગવેજ શીખવી?
- એમની પાસે એવી તો શું ખાસિયત છે?
- શું છે 3M થિયરી?
- શું વિદેશ જવું હોય તો ઈંગ્લીશ સ્પીકિંગ ની સાથે ગ્રામર આવડવું જરૂરી છે ?
આ બધું જ તમને જાણવા મળશે આ વિડીયો ના માધ્યમથી, તો આ વિડીયો ને પુરેપૂરો નિહાળો.
--------------------------------------------------------------
Malva Jeva Manas | Dharmendra Sheth | Fluentlingua | Spoken English | સ્પોકન ઈંગ્લીશ | મળવા જેવા માણસ
આજના એપિસોડ માં આપણે મળીશું, સુરત ના એક એવા વ્યક્તિને કે જેઓ ઇકોફ્રેન્ડલી અને ઈકોનોમિકલી પ્રોડક્ટ્સ ના ઇન્વેન્ટર છે.
તેઓ વૈજ્ઞાનિક નથી પણ તેમ છતાં તેઓ અવનવી શોધ કરવાનો શોખ ધરાવે છે.
ધર્મેશભાઈ કોરાટ કે જેઓ THL કંપનીના ફાઉન્ડર છે, તેમણે પ્લાસ્ટિક માંથી ફ્યુલ બનાવ્યું હતું અને એ ફયુલમાંથી એમને બાઈક પણ ચલાવી છે, એ ફ્યુલમાંથી આપણે કાર કે બીજા અન્ય કોમર્શિયલ વાહનો પણ ચલાવી શકીએ છીએ.
પર્યાવરણ માં વધતો જતો પ્લાસ્ટિક નો ઉપદ્રવ અને વધતી જતી પેટ્રોલ ની માંગને પહોંચી વળવા માટે એમને આવો પ્રયોગ કરવાની પ્રેરણા મળી હતી.
હાલમાં તેઓ એક એવો પ્રયોગ કરી રહ્યા છે કે, જેમાં પાણી પર એવી પ્રોસેસ કરવામાં આવે કે એ પાણી દ્વારા હેન્ડ વૉશ થી અથવા વોશિંગ મશીનથી કપડાં ધોવામાં આવે તો કોઈ પણ ડિટર્જન્ટપાવડર, સાબુ, લીકવીડ નાખ્યા વગર બધો જ મેલ નીકળી જાય. શર્ટના કફ-કોલર બધું જ એકદમ ચોખ્ખું થઇ જાય એ પણ માત્ર સાદા પાણીથી.
હાલમાં એમને એક મશીન બનાવ્યું છે કે જેના દ્વારા સાદા પાણીને આલ્કલાઈન માં ફેરવી શકાય છે.
સ્વજન ના મૃત્યુના આઘાત માંથી બહાર કેમ આવવું? | Swajan na Mrutyu na Aghat mathi Bahar kem Aavvu?
આપણે આપણી ડે ટુ ડે લાઈફ માં હસી ખુશી થી જીવતા હોઈએ છીએ, પરંતુ અમુક એવી ઘટનાઓ આપણા જીવન માં ઘટે છે જે આપણને ખુબજ આઘાત આપનારી હોય છે અને આપણે એમાંથી જલ્દી બહાર આવી શકતા નથી. એવી જ એક ઘટના એટલે "સ્વજન નું મૃત્યુ"
અચાનક આવી પડેલા દુઃખ માંથી બહાર કઈ રીતે આવવું એ આ વિડીયો માં તમને એક વાર્તા ના સ્વરૂપ માં જોવા મળશે.
આ વિડીયો નો પુરેપુરો નિહાળશો તો કદાચ તમને પણ તમારા દુઃખમુક્તિનો એકાદ ઉપાય મળી જશે.
આભાર
Dr Vijay Savani (Agyatvasi) Mo: 9409567765
નવી ભોજન પ્રથા ના પ્રણેતા શ્રી બી વી ચૌહાણ સાહેબ શ્રી નો પરિચય આપણે આ વિડીયો માં જોવાના છીએ,
એમની નવી ભોજન પ્રથા થી પ્રેરણા લઈને, નવી ભોજન પ્રથા અપનાવીને હજારો બીમાર લોકો સાજા થયા છે.
લગભગ બસ્સો કરોડ થી પણ વધુ લોકો સુધી એમની વાત પહોંચી છે. રો અને વિગન ફૂડ અને રસાહાર ની પદ્ધતિ અપનાવો એવી પ્રેરણા એમને 1993 થી આપવાની શરૂવાત કરી હતી, આજે વિરાટ કોહલી જેવા ક્રિકેટર પણ આ વિગન ફૂડની પ્રથા અપનાવી ને સ્વસ્થ જીવન જીવી રહયા છે.
શું છે NDS ? (નવી ભોજન પ્રથા) ન્યુ ડાએટ સીસ્ટમ અપનાવવા ની રીત
શું છે સંજીવની ક્રિયા ? (એનિમા પોટ વિષે માહિતી)
શું ખાવું? કેવું ખાવું? અને કેટલું ખાવું આવા અનેક પ્રશ્નોની માહિતી તમને આ વિડીયો માં જોવા મળશે.
આ વિડીયો ને છેલ્લે સુધી જુઓ, કદાચ તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જાય.
--------------------------------------------------------------
Malva Jeva Manas | B V Chauhan | Interview | NDS | New Diet System | Navi Bhojan | મળવા જેવા માણસ
Mahendrabhai Korat | Contact Number : +91 93757 23408
Contact us for Inquiry at [email protected]
--------------------------------------------------------------
Music in this video
Song
Bright Eyed Blues
Artist
Unicorn Heads
Album
Bright Eyed Blues
Licensed to YouTube by
YouTube Audio Library; BMI - Broadcast Music Inc
અશાંત મન ને શાંત કેમ કરવું? । વિજયવાણી | Aswasth Man | Motivational Story | Inspirational Quotes
એક રાજાને ક્યાંય ગમતું નથી, મન અસ્વસ્થ છે અશાંત છે ત્યારે ગામમાં ઢંઢેરો પિટાવે છે, જે કોઈ મારા સવાલના જવાબ આપશે એમને મોં માંગ્યું ઇનામ મળશે.
એક ભિક્ષુક આવે છે અને રાજાને એવા વ્યક્તિ પાસે જવાની સલાહ આપે છે જે વ્યક્તિ પાસે તમામ પ્રકારના સવાલના જવાબ છે.
રાજા આ વ્યક્તિ પાસે જાય છે અને પોતાના પ્રશ્નોના જવાબ માંગે છે,
આ બંને વચ્ચે શું વાર્તાલાપ થાય છે એ જાણવા આ આખો વિડીયો જુઓ.
આભાર
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Opening Hours
| Monday | 9am - 8pm |
| Tuesday | 9am - 8pm |
| Wednesday | 9am - 8pm |
| Thursday | 9am - 8pm |
| Friday | 9am - 8pm |
| Saturday | 9am - 8pm |
| Sunday | 9am - 8pm |